ઉત્તમ ઉકેલ સાથે પ્રગતિનો માર્ગ...

ટ્રિપલ સુપર
ફોસ્ફેટ (TSP)

એક સાંદ્ર ફોસ્ફોરસ ખાતર જેમાં 46% ઘુલનશીલ P2O5 છે, જે પાક અને જમીનના પોષણ માટે બનાવાયેલ છે.
92.5% પાણીમાં ઘુલનશીલતા

ફોસ્ફરસ અને કેલ્શિયમ ઝડપથી દ્રાવ્ય બને છે, જેથી પાક તેને ઝડપથી શોષી શકે છે

46%
ફોસ્ફેટ

જમીનને ફોસ્ફરસ (P) પૂરો પાડે છે, જે પાકના મજબૂત વિકાસમાં મદદ કરે છે

11-16% કેલ્શિયમ યુક્ત

જમીનની રચના, હવાના પ્રવાહ અને ભેજ જાળવી રાખવાની ક્ષમતા સુધારે છે

ઉત્તમ પાક
વિકાસ

46% ફોસ્ફરસના કારણે છોડની સારી વૃદ્ધિ થાય છે અને વધુ ઉત્પાદન મળે છે

વિવિધ પ્રકારના પાકમાં ઉપયોગ

વિવિધ પ્રકારના પાકોની ફોસ્ફરસ અને કેલ્શિયમની જરૂરિયાતો પૂર્ણ કરે છે

ટ્રિપલ સુપર ફોસ્ફેટ

તમારા પાકની સફળતા માટે

ખરીફ
પાક

रબી
પાક

અન્ય
પાક

* આ વેબસાઇટ પર આપેલી માહિતી સામાન્ય માર્ગદર્શિકા પર આધારિત છે, જેમાં સરકારી ભલામણો અને પરીક્ષણોના પરિણામો સમાવેશ થાય છે. આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે, અને વપરાશકર્તાઓએ તેને તેમની પાક અને જમીનની વિશિષ્ટ જરૂરિયાતો અને પરિસ્થિતિઓ મુજબ અપનાવવી જોઈએ.

TSP સાથે સફળતાની કહાનીઓ

TSP સાથે અમારી સફળતાની કહાનીઓ

ખેડૂતો, ભાગીદારો અને કૃષિ સમુદાયને સાથે લાવી, ટ્રિપલ સુપર ફોસ્ફેટ (TSP) દ્વારા શીખવા, સમજવા અને આગળ વધવા માટે મંચ પ્રદાન કરવો; જેથી વધુ ઉત્પાદન, સ્વસ્થ જમીન અને સશક્ત ખેતીને પ્રોત્સાહન મળી શકે.

શિક્ષણ

તાલીમ અને નિદર્શન દ્વારા TSP ની સમજને સરળ બનાવો

પ્રોત્સાહન

ખેડૂતોને ફોસ્ફોરસ આધારિત ખાતર ઉકેલો અપનાવવા સહાય કરો

સશક્ત

વધુ ઉત્પાદન માટે સાધનો, ચોક્કસ માહિતી અને ઉકેલો પ્રદાન કરો

ખેતીની પદ્ધતિમાં બદલાવ કેમ જરૂરી છે?

“એક જ રીત બધાને લાગુ પડે” એવી ખેતીનો સમય હવે પૂરો થયો

જમીનની જરૂરિયાત મુજબ પોષણ તૈયાર કરવું જ ટકાઉ ઉત્પાદનક્ષમતાનો મુખ્ય આધાર છે.

તમારા જવાબ અહીં મેળવો!

TSP માં પોષક તત્વોની માત્રા શું છે?

ટ્રિપલ સુપર ફોસ્ફેટ (TSP) ફોસ્ફરસનો અત્યંત સાંદ્ર સ્ત્રોત છે ...
વધુ જાણો

શું TSP નો ઉપયોગ વાવણી વખતે (Basal) ખાતર તરીકે કરી શકાય?

હા: TSP નો ઉપયોગ વાવણી સમયે સાંદ્ર અને તરત ઉપલબ્ધ ...
વધુ જાણો

ધાન્ય પાકો માટે અન્ય ફોસ્ફેટિક ખાતરોની તુલનામાં TSP ની ફોસ્ફરસ ઉપયોગ કાર્યક્ષમતા (PUE) કેવી છે?

TSP ધાન્ય જેવા ફોસ્ફરસ-સઘન (વધુ ફોસ્ફરસની જરૂરિયાતવાળા) પાકો ...
વધુ જાણો

TSP નો ઉપયોગ કરતી વખતે નાઇટ્રોજનની જરૂરિયાત કેવી રીતે પૂરી કરવી?

સંતુલિત પોષણ પૂરું પાડવા માટે નાઇટ્રોજનની જરૂરિયાતને યુરિયા
વધુ જાણો

સોયાબીન, દાળ પાક માટે TSP કેમ આદર્શ છે?

સોયાબીન, દાળ પાક માટે જેવા કઠોળ પાકો માટે TSP એક આદર્શ પસંદગી છે ...
વધુ જાણો

જમીનના સ્વાસ્થ્ય પર TSP નો શું પ્રભાવ પડે છે?

TSP ફોસ્ફરસ અને કેલ્શિયમનું સ્તર વધારીને જમીનની ફળદ્રુપતા પર ...
વધુ જાણો

શું તમે સમજદારીપૂર્વક ખેતી કરવા તૈયાર છો?

વધુ માહિતી માટે, TSP ની પાઠશાળાનો સંપર્ક કરો.

અમારો સંપર્ક કરો

ડિસ્ક્લેમર

આ વેબસાઇટ પર આપેલી માહિતી સામાન્ય માર્ગદર્શિકા પર આધારિત છે, જેમાં સરકારી ભલામણો અને પરીક્ષણોના પરિણામો સમાવેશ થાય છે. આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે, અને વપરાશકર્તાઓએ તેને તેમની પાક અને જમીનની વિશિષ્ટ જરૂરિયાતો અને પરિસ્થિતિઓ મુજબ અપનાવવી જોઈએ.

TSP માં પોષક તત્વોની માત્રા શું છે?

ટ્રિપલ સુપર ફોસ્ફેટ (TSP) ફોસ્ફરસનો અત્યંત સાંદ્ર સ્ત્રોત છે, જે તમારા પાકની સંપૂર્ણ વૃદ્ધિ ક્ષમતાને ઉજાગર કરવા માટે રચાયેલ છે.

તેના મુખ્ય પોષક તત્ત્વો આ મુજબ છે:

ફોસ્ફરસ (P₂O₅): 46%
ઉચ્ચ સાંદ્રતા ધરાવતું ફોસ્ફરસ, જે છોડના વિકાસ માટે ઉપલબ્ધ સૌથી અસરકારક સ્ત્રોતોમાંનું એક છે.

કેલ્શિયમ (Ca): 11–16% (ન્યૂનતમ)
ચોક્કસ સંયોજન મુજબ કેલ્શિયમ સલ્ફેટના સ્વરૂપમાં ઉપલબ્ધ કેલ્શિયમ જમીનના સ્વાસ્થ્યને સુધારવામાં અને છોડની રચનાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

શું TSP નો ઉપયોગ વાવણી વખતે (Basal) ખાતર તરીકે કરી શકાય?

હા: TSP નો ઉપયોગ વાવણી સમયે સાંદ્ર અને તરત ઉપલબ્ધ ફોસ્ફરસના સ્ત્રોત તરીકે કરવામાં આવે છે.

લાભ: મૂળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને પાકની શરૂઆતની વૃદ્ધિને વધુ જોરદાર બનાવે છે.

ડાંગર (ચોખા) માટે ભલામણ: P₂O₅ : 40–60 કિગ્રા/હેક્ટર

ઘઉં માટે ભલામણ: P₂O₅ : 30–60 કિગ્રા/હેક્ટર.

ધાન્ય પાકો માટે અન્ય ફોસ્ફેટિક ખાતરોની તુલનામાં TSP ની ફોસ્ફરસ ઉપયોગ કાર્યક્ષમતા (PUE) કેવી છે?

TSP ધાન્ય જેવા ફોસ્ફરસ-સઘન (વધુ ફોસ્ફરસની જરૂરિયાતવાળા) પાકો માટે અત્યંત અસરકારક છે.

તેનું પ્રદર્શન નીચે મુજબ છે:

TSP: ફોસ્ફરસનું ઊંચું પ્રમાણ (46% P₂O₅) હોવાથી તેની ફોસ્ફરસ ઉપયોગ કાર્યક્ષમતા (PUE) વધુ હોય છે, ખાસ કરીને સંતુલિત નાઇટ્રોજન (N) ધરાવતી જમીનમાં. બેન્ડ પ્લેસમેન્ટ દ્વારા ઉપયોગ કરવાથી મૂળ દ્વારા ફોસ્ફરસનું શોષણ વધે છે.
TSP ની જળ દ્રાવ્યતા સૌથી વધુ (+92.5%) છે, જેના કારણે અન્ય ફોસ્ફેટિક ખાતરોની સરખામણીમાં તેની ફોસ્ફરસ ઉપયોગ કાર્યક્ષમતા (PUE) વધુ સારી બને છે.

TSP નો ઉપયોગ કરતી વખતે નાઇટ્રોજનની જરૂરિયાત કેવી રીતે પૂરી કરવી?

સંતુલિત પોષણ પૂરું પાડવા માટે નાઇટ્રોજનની જરૂરિયાતને યુરિયા, એમોનિયમ સલ્ફેટ જેવા અન્ય નાઇટ્રોજન સ્ત્રોતો દ્વારા પૂરી કરી શકાય છે, કારણ કે તે TSP ના પૂરક તરીકે કામ કરે છે.

પદ્ધતિ: ધાન્ય પાકોમાં ૨ થી ૩ વિભાજિત હપ્તામાં (પાયાના અને પૂર્તિ ખાતર તરીકે) વપરાશ.

ઉપયોગ: નાઇટ્રોજન (N): 120–150 કિગ્રા/હેક્ટર

સમય: ટિલરિંગ (Tillering) અને પેનિકલ ઇનિશિએશન (Panicle Initiation) તબક્કા દરમિયાન આપવું.

લાભ: ઉત્પાદનમાં વધારો કરે છે અને સંસાધનોના ઉપયોગની કાર્યક્ષમતા (Resource Use Efficiency) સુધારે છે.

સોયાબીન, દાળ પાક માટે TSP કેમ આદર્શ છે?

સોયાબીન, દાળ પાક માટે જેવા કઠોળ પાકો માટે TSP એક આદર્શ પસંદગી છે:

TSP: કઠોળ પાકો મૂળ અને ગાંઠોના (Nodule) વિકાસ માટે ફોસ્ફરસ પર ખૂબ નિર્ભર હોય છે. TSP માં ફોસ્ફરસનું ઊંચું પ્રમાણ હોવાથી, Rhizobia જેવા જૈવિક ખાતરો સાથે ઉપયોગ કરવામાં આવે ત્યારે ફોસ્ફરસ ઉપયોગ કાર્યક્ષમતા (PUE)માં સુધારો થાય છે.

જમીનના સ્વાસ્થ્ય પર TSP નો શું પ્રભાવ પડે છે?

TSP ફોસ્ફરસ અને કેલ્શિયમનું સ્તર વધારીને જમીનની ફળદ્રુપતા પર સકારાત્મક અસર કરે છે. સંતુલિત ઉપયોગ અને સેન્દ્રિય પદાર્થોના (organic matter) સંકલનથી જમીનનું લાંબાગાળાનું સ્વાસ્થ્ય વધુ સારું બને છે.