કપાસ
ભારત વિશ્વમાં કપાસના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંનું એક છે.
એક મુખ્ય રોકડીયો પાક હોવાને કારણે, ખરીફ સીઝનમાં લગભગ 110 થી 120 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે.
કપાસ લાખો ખેડૂતોને આજીવિકા પૂરી પાડે છે અને જીનીંગ, પ્રેસીંગ અને ટ્રાન્સપોર્ટ જેવી તેની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને વેગ આપે છે.
તમારા કપાસના પાકને ફોસ્ફરસની જરૂર શા માટે છે?
મજબૂત મૂળ અને પાકનો
શરૂઆતી વિકાસ
ફોસ્ફરસ મૂળના ઊંડા વિકાસને પ્રોત્સાહન આપે છે, જે કપાસના છોડને ઝડપથી સેટ થવામાં, શરૂઆતના તણાવ (સ્ટ્રેસ) સામે ટકી રહેવામાં અને જમીનના પોષક તત્વોનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે.
ફૂલ આવવા, ઝીંડવા બેસવા
અને તેને ટકાવી રાખવા
તે ઉર્જા ટ્રાન્સફર (ATP) માં મદદ કરે છે, જે ફૂલ આવવાના સમયે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી ઝીંડવા વધુ સારા બેસે છે, ઝીંડવા/ફૂલ ખરી પડવાનું પ્રમાણ ઘટે છે અને આખા ખેતરમાં પાકનો એકસમાન વિકાસ થાય છે.
ઉત્પાદન અને રૂની
ગુણવત્તામાં સુધારો
રતા પ્રમાણમાં ફોસ્ફરસ મળવાથી ઝીંડવાનું કદ વધે છે, બીજ (કપાસિયા) નો વિકાસ સારો થાય છે અને અંતે ઉત્પાદનની સાથે-સાથે રૂના તારની મજબૂતાઈ અને ગુણવત્તામાં પણ સુધારો થાય છે.